ભરૂચ: સુપરસ્ટાર શારૂખખાનના મકાનમાં ઘૂસનાર ઈસમ ચોરીના આરોપમાં ઝડપાયો,નિવૃત આર્મીમેનના ઘરમાં કરી હતી ચોરી

શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા

New Update
  • ભરૂચમાં નિવૃત્ત આર્મીમેનના મકાનમાં થઈ હતી ચોરી

  • પોલીસે સીસીટીવીના આધારે આરોપીની કરી ધરપકડ

  • રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરાયો

  • પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • આરોપી સુપરસ્ટાર શાહરુખ ખાનના ઘરમાં પણ ઘૂસ્યો હતો

Advertisment W3.CSS
એક વર્ષ પહેલા સુપર સ્ટાર શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે.પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં મથકમાં નોંધાઈ હતી.આ મામલે બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તલાસ હાથ ધરી હતી.
જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહા અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મિન્હાઝ સિંધાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલો રૂપિયા 2.74 લાખનો મુ્દામાલ રિકવર કર્યો હતો.
આરોપીઓની પૂછતાછમાં પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જણાવા મળી હતી,જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાહાએ એક વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપર સ્ટાર શાહરૂખ ખાનના બંગલો મન્નતની હાઈ સિક્યુરિટી તોડીને છેક ત્રીજા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
જેમાં તેને શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતાં તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.