ભરૂચ: સુપરસ્ટાર શારૂખખાનના મકાનમાં ઘૂસનાર ઈસમ ચોરીના આરોપમાં ઝડપાયો,નિવૃત આર્મીમેનના ઘરમાં કરી હતી ચોરી

શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા

New Update
  • ભરૂચમાં નિવૃત્ત આર્મીમેનના મકાનમાં થઈ હતી ચોરી

  • પોલીસે સીસીટીવીના આધારે આરોપીની કરી ધરપકડ

  • રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરાયો

  • પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • આરોપી સુપરસ્ટાર શાહરુખ ખાનના ઘરમાં પણ ઘૂસ્યો હતો

એક વર્ષ પહેલા સુપર સ્ટાર શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે.પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં મથકમાં નોંધાઈ હતી.આ મામલે બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તલાસ હાથ ધરી હતી.
જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહા અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મિન્હાઝ સિંધાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલો રૂપિયા 2.74 લાખનો મુ્દામાલ રિકવર કર્યો હતો.
આરોપીઓની પૂછતાછમાં પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જણાવા મળી હતી,જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાહાએ એક વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપર સ્ટાર શાહરૂખ ખાનના બંગલો મન્નતની હાઈ સિક્યુરિટી તોડીને છેક ત્રીજા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
જેમાં તેને શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતાં તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.