ભરૂચ: જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ નો પ્રારંભ,1.53 લાખ રમતવીરોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે,જેમાં 1.53 લાખ રમતવીરોએ ખેલ મહાકુંભમાં અલગ અલગ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

New Update
  • ખેલ મહાકુંભ 3.0 નો પ્રારંભ

  • 1.53 લાખ રમતવીરોનું રજીસ્ટ્રેશન

  • 24 જેટલી રમતમાં ખેલાડીઓએ લીધો ભાગ 

  • તાલુકાકક્ષાએ સ્કૂલમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓએ લીધો ભાગ

  • જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડી રાજ્યકક્ષાની સ્પર્ધામાં લેશે ભાગ

Advertisment

ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે,જેમાં 1.53 લાખ રમતવીરોએ ખેલ મહાકુંભમાં અલગ અલગ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ થાયપ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભનો તારીખ 6 જાન્યુઆરીથી તાલુકા કક્ષાનો પ્રારંભ થઈ ગયો છે.ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લામાં 1.53 લાખ જેટલા ખેલાડીઓએ 24 જેટલી રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકા કક્ષાએ વિવિધ સ્કૂલમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લેશે. શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓએ ઝોનકક્ષા/રાજયકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે.

તારીખ 6 જાન્યુઆરીએ ભરૂચ તાલુકામાં સંસ્કાર સ્કૂલ ખાતે વોલીબોલ રમતની સ્પર્ધાનું આયોજન કરાયું હતુંજેમાં અલગ અલગ વયજુથમાં ભાઈઓ બહેનો મળી કુલ 67 ટીમોએ ભાગ લીધો હતોઆ સિવાય તારીખ 7 જાન્યુઆરીના રોજ કે.જી.એમ શાળા ખાતે એથ્લેટીક્સ રમતનું આયોજન થયું હતું. જેમાં અંડર-9અંડર  -11અંડર  -14અંડર-17 અને ઓપન કેટેગરી મળી કુલ આશરે 636 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. એથ્લેટીક્સ રમતને કે.જી.એમ શાળાના આચાર્ય ઉપાશના શર્મા મેડમે ખુલ્લો મુક્યો હતો. આ ખેલાડીઓ તાલુકાકક્ષાએ વિજેતા થઈ હવે જિલ્લા કક્ષાએ રમવા જશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ઝોન કક્ષા અને રાજ્યકક્ષાએ રમવા જનાર છે.આ ઉપરાંત એથ્લેટીક્સ રમત માંથી ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન કરી પ્રતિભાશાળી ખેલાડીઓને ડી.એલ.એસ.એસ માટે તૈયાર કરવામાં આવનાર છે.

 

Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment