ભરૂચ: જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ નો પ્રારંભ,1.53 લાખ રમતવીરોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે,જેમાં 1.53 લાખ રમતવીરોએ ખેલ મહાકુંભમાં અલગ અલગ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

New Update
  • ખેલ મહાકુંભ 3.0 નો પ્રારંભ

  • 1.53 લાખ રમતવીરોનું રજીસ્ટ્રેશન

  • 24 જેટલી રમતમાં ખેલાડીઓએ લીધો ભાગ 

  • તાલુકાકક્ષાએ સ્કૂલમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓએ લીધો ભાગ

  • જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડી રાજ્યકક્ષાની સ્પર્ધામાં લેશે ભાગ

ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે,જેમાં 1.53 લાખ રમતવીરોએ ખેલ મહાકુંભમાં અલગ અલગ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ થાયપ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભનો તારીખ 6 જાન્યુઆરીથી તાલુકા કક્ષાનો પ્રારંભ થઈ ગયો છે.ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લામાં 1.53 લાખ જેટલા ખેલાડીઓએ 24 જેટલી રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકા કક્ષાએ વિવિધ સ્કૂલમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લેશે. શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓએ ઝોનકક્ષા/રાજયકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે.

તારીખ 6 જાન્યુઆરીએ ભરૂચ તાલુકામાં સંસ્કાર સ્કૂલ ખાતે વોલીબોલ રમતની સ્પર્ધાનું આયોજન કરાયું હતુંજેમાં અલગ અલગ વયજુથમાં ભાઈઓ બહેનો મળી કુલ 67 ટીમોએ ભાગ લીધો હતોઆ સિવાય તારીખ 7 જાન્યુઆરીના રોજ કે.જી.એમ શાળા ખાતે એથ્લેટીક્સ રમતનું આયોજન થયું હતું. જેમાં અંડર-9અંડર  -11અંડર  -14અંડર-17 અને ઓપન કેટેગરી મળી કુલ આશરે 636 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. એથ્લેટીક્સ રમતને કે.જી.એમ શાળાના આચાર્ય ઉપાશના શર્મા મેડમે ખુલ્લો મુક્યો હતો. આ ખેલાડીઓ તાલુકાકક્ષાએ વિજેતા થઈ હવે જિલ્લા કક્ષાએ રમવા જશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ઝોન કક્ષા અને રાજ્યકક્ષાએ રમવા જનાર છે.આ ઉપરાંત એથ્લેટીક્સ રમત માંથી ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન કરી પ્રતિભાશાળી ખેલાડીઓને ડી.એલ.એસ.એસ માટે તૈયાર કરવામાં આવનાર છે.

 

Read the Next Article

ભરૂચ : અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો, જુઓ “LIVE” રેસક્યું

અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમે ટ્રક ચાલકનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો

New Update
  • NH-48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત

  • અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રકની કેબિનમાં ફસાયો

  • 108 ઈમરજન્સી સહિત ફાયર ફાઈટરો દોડી આવ્યા

  • ફાયર ફાઈટરોએ ટ્રકચાલકનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું

  • ભારે જહેમત બાદ ટ્રકચાલકને હેમખેમ બહાર કાઢ્યો 

ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો હતો. જેને ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હેમખેમ બહાર કાઢ્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. આ અંગે જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતીજ્યાં ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

ભારે જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફઅકસ્માતના પગલે રાત્રિના સમયે નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી પોલીસ અને ફાયર ટીમ અકસ્માતગ્રસ્ત વાહનને માર્ગ પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Read the Next Article

ભરૂચી માતાના મંદિર પાટોત્સવ નિમિત્તે  લક્ષ્મીયાગનું કરાયુ આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા

New Update
  • ભરૂચના હાથીખાના બજારમાં આવેલું છે મંદિર

  • ભરૂચી માતાના મંદિરનો પાટોત્સવ યોજાયો

  • લક્ષ્મીયાગનું કરાયુ આયોજન

  • શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરાયુ

  • મોટી સંખ્યમાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુપ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુપ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા.સંખ્યાબંધ ભક્તોએ માતાના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો.મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.