ભરૂચ: નિર્ભયાના રેપ વીથ મર્ડર કેસની જલ્દી ટ્રાયલ ચલાવવા વકીલોની માંગ, રેલી કાઢી કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર

ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી

New Update
  • ભરૂચની નિર્ભયનો રેપ વીથ મર્ડર કેસ

  • બાર એસો.દ્વારા યોજાય રેલી

  • મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ જોડાયા

  • કલેકટરને કરી રજુઆત

  • કેસની ટ્રાયલ જલ્દી ચલાવવા માંગ

ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી
ભરૂચની દસ વર્ષની નિર્ભયા સાથે અતિવિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેના પગલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજરોજ ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી.બાર એસોસિએશન દ્વારા આ કેસની ટ્રાયલ જલ્દી ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ પરપ્રાંતીય વસાહતોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ જોડાયા હતા. બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર નરમ આરોપીનો કેસ કોઈપણ વકીલ હાથમાં નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.