ભરૂચ: જંબુસરના વડદલા ગામે દીપડાએ 3 પશુઓનો કર્યો શિકાર, વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું

વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે.

New Update
  • ભરૂચના જંબુસરના વડદલા ગામનો બનાવ

  • દીપડાનો આતંક જોવા મળ્યો

  • દીપડાએ ત્રણ પશુઓનો કર્યો શિકાર

  • પશુપાલકોમાં ફફડાટ

  • વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું

ભરૂચના જંબુસર તાલુકાના વડદલા ગામે દીપડાએ ત્રણ પશુઓનો શિકાર કરતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે
વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે. જંબુસર તાલુકાના વડદલા ગામ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ યાદવ તેમજ હરેન્દ્રસિંહ સિંધા નામના પશુપાલકોએ તેમના પશુને ખેતરમાં બાંધ્યા હતા.આ દરમિયાન અચાનક દીપડો આવી ચઢયો હતો અને ત્રણ પશુઓનો શિકાર કર્યો હતો. આ અંગેની જાણ થતા જ પશુપાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ખેતરોમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની શરૂ કરવામાં આવી છે. આ તરફ ખેતરોમાંથી દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા છે.
Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.