ભરૂચ : દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી સ્થાનિકો ત્રસ્ત, MLA સાથે બેઠક યોજી કરી ઉગ્ર રજૂઆત...

ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહીતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જોકે, બેઠક દરમ્યાન સ્થાનિકોનો રોષ નજરે પડ્યો હતો.

New Update

દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી સ્થાનિકો ત્રસ્ત સ્થાનિકો

ટ્રાફિક જામની વિકટ સમસ્યાથી સોસાયટીના રહીશો ત્રાહિમામ

સમસ્યાના હલ માટે ધારાસભ્ય-અગ્રણીઓ સાથે બેઠક યોજાય

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી

વહેલીતકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી

ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહીતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જોકેબેઠક દરમ્યાન સ્થાનિકોનો રોષ નજરે પડ્યો હતો.

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર મીપકો ચોકડીથી શ્રવણ ચોકડી સુધીના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. એક તરફબ્રિજની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફઅહીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંબિસ્માર માર્ગની સાથે સાથે ટ્રાફિક જામની પણ વિકટ સમસ્યાથી આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકેટ્રાફિક જામની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે તંત્ર દ્વારા વાયદા કરાયા છે. પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું હોય છે. તેવામાં સમય સાથે વિકટ બની રહેલી સમસ્યાનું નિરાકરણ લાવવા બાયપાસ રોડ પર આવેલ મીરામ્બીકા સોસાયટી ખાતે અગત્યની બેઠક યોજાય હતી. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીતાલુકા પંચાયતગ્રામ પંચાયતના સભ્યો તેમજ વિવિધ સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.

 

Read the Next Article

ભરૂચ: જંબુસરના સ્વરાજ ભવન ખાતે વિશ્વ યોગ દિવસની કરાય ઉજવણી, યોગ-પ્રાણાયમ થકી નિરોગી રહેવા કરાયા પ્રયાસ

ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા

New Update
  • આજે વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી

  • જંબુસરમાં પણ ઉજવણી કરવામાં આવી

  • સ્વરાજ ભવન ખાતે કરાયુ આયોજન

  • મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • આગેવાનોએ પણ કર્યા યોગ

ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા
21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેરે ઠેર કરવામાં આવે છે ત્યારે ભરૂચના જંબુસર નગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જંબુસર સ્વરાજ ભવન ખાતે કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીમાં મામલતદાર એન.એસ. વસાવા, નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમાર, ચીફ ઓફિસર જયદીપ ચૌધરી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિતના આગેવાનો,કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.યોગ ટ્રેનર તરીકે ભર્તુહરી જાદવે યોગ અંગે સવિસ્તાર માહિતી આપી યોગથી થતા ફાયદા જણાવી યોગાસનો, પ્રાણાયામ કરાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી.