ભરૂચ: વોર્ડ 7ના ચીંગસપુરા મારૂ ફળિયામાં પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિકો પરેશાન

ભરૂચ શહેરના વોર્ડ નંબર 7ના ચીંગસપુરાના મારૂ ફળીયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે,

New Update

ભરૂચમાં વોર્ડ 7 ચીંગસપુરામાં પાણીની સમસ્યા 

મારૂ ફળિયાના લોકોના પાણી માટે વલખા 

પાલિકામાં રજૂઆત બાદ પણ ઉકેલ ન આવ્યો 

રહીશોએ પાલિકામાં કરી ઉગ્ર રજૂઆત 

બીજી લાઈનમાં પાણી કનેક્શન જોડી દેવાની વિપક્ષના સભ્યોની ચમકી   

ભરૂચ શહેરના વોર્ડ નંબર 7ના ચીંગસપુરાના મારૂ ફળીયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે, તેથી નગરપાલિકાના વિપક્ષના સભ્યો સાથે મળીને સ્થાનિકોએ વોટરવર્કસ કમિટીમાં ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 7ના ચીંગસપુરાના મારૂ ફળિયામાં ગરીબ વર્ગના પરિવારજનો રહે છે.ત્યાં છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી મળતું ન હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ અંગે રહીશો દ્વારા નગરપાલિકા માં રજુઆત કરવામાં આવી હતી, જોકે તેમની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નહોતું. તેથી રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ તેમજ સભ્ય સલીમ અમદાવાદીને આ મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિકો સાથે વોટર વર્કસ સમિતિના ચેરમેન તેમજ એન્જિનિયરને આ અંગે ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે જણાવ્યું હતું, આ ઉપરાંત જો રહીશોની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો વિપક્ષી સભ્યો જાતે જ બીજી પસાર થતી લાઈન માંથી કનેક્શન આપી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.જોકે આ મુદ્દે રજૂઆત બાદ વોટર વર્કસ માંથી સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી.ત્યારે આ ખાતરીનું પાલન થાય છે કે કેમ તે જોવું રહ્યું!
Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.