ભરૂચ: જીલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાય,200 કેસનો કરવામાં આવ્યો નિકાલ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સેક્રેટરી ડી.બી.તિવારી માર્ગદર્શન હેઠળ આજરોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે આયોજન

  • જિલ્લા લોક અદાલતનું આયોજન કરાયું

  • 200 કેસનો કરવામાં આવ્યો નિકાલ

  • લગ્ન વિષયક અને ચેક બાઉન્સ સહિતના કેસ રજૂ કરાયા

  • કાનૂની સેવા સત્તા મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જીલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાઈ હતી જેમાં ૨૦૦ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સેક્રેટરી ડી.બી.તિવારી માર્ગદર્શન હેઠળ આજરોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક અદાલતમાં લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સીવીલ દાવા,એમ.એ.સી.પી. અને જમીન સંપાદન વળતરના કેસો મુકવામાં આવ્યા હતા.જે પૈકી અંદાજીત ૨૦૦ જેટલા કેસોનો સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.