ભરૂચ : ખાનગી કંપનીઓના કારણે નર્મદા વિસ્થાપિતોના ખેતરમાં નુકશાન, વળતરની માંગ સાથે તંત્રને આપ્યું આવેદન

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં વસેલા નર્મદા વિસ્થાપિતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં વસેલા નર્મદા વિસ્થાપિતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

નર્મદા વિસ્થાપિતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કેવાગરા તાલુકાના ભેરસમ ગામમાં જમીન ફાળવવામાં આવી છેજ્યાં તેઓ ખેતી કરી જીવન ગુજારે છે. હાલના વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં વરસાદી પાણી ભરાય ગયા છેજ્યાં આ વિસ્થાપિતો પણ ઘણા વર્ષોથી ખેતી કરે છે. પરંતુ હાલના વર્ષમાં સાયખા તથા ભેરસમ સીમાડાGIDCની કંપનીઓનું બાંધકામ કરવામાં આવ્યું છેજ્યાં વરસાદી પાણીનો નિકાલ હતોત્યાં તે જગ્યા પર ખાનગી કંપનીઓએમાટી પુરાણ કર્યું છે. જેથી પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાની રજૂઆત કરી હતી. આ સાથે જ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ સાથે યોગ્ય કાર્યવાહી કરી જે કંઈ પણ નુકશાન થયું છેજે કંપની તરફથી વળતર અપાવવાની માંગ કરવામાં આવી હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.