ભરૂચ : ખાનગી કંપનીઓના કારણે નર્મદા વિસ્થાપિતોના ખેતરમાં નુકશાન, વળતરની માંગ સાથે તંત્રને આપ્યું આવેદન

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં વસેલા નર્મદા વિસ્થાપિતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં વસેલા નર્મદા વિસ્થાપિતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

નર્મદા વિસ્થાપિતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કેવાગરા તાલુકાના ભેરસમ ગામમાં જમીન ફાળવવામાં આવી છેજ્યાં તેઓ ખેતી કરી જીવન ગુજારે છે. હાલના વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં વરસાદી પાણી ભરાય ગયા છેજ્યાં આ વિસ્થાપિતો પણ ઘણા વર્ષોથી ખેતી કરે છે. પરંતુ હાલના વર્ષમાં સાયખા તથા ભેરસમ સીમાડા GIDCની કંપનીઓનું બાંધકામ કરવામાં આવ્યું છેજ્યાં વરસાદી પાણીનો નિકાલ હતોત્યાં તે જગ્યા પર ખાનગી કંપનીઓએ  માટી પુરાણ કર્યું છે. જેથી પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાની રજૂઆત કરી હતી. આ સાથે જ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ સાથે યોગ્ય કાર્યવાહી કરી જે કંઈ પણ નુકશાન થયું છેજે કંપની તરફથી વળતર અપાવવાની માંગ કરવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.