ભરૂચ: વિદેશમંત્રીના કેરટેકર તરીકેની ઓળખ આપી રૂ.9.54 લાખની છેતરપીંડી, આરોપીને ઝડપી પાડવા પોલીસે 2 ટીમ બનાવી

ગાંધીનગરના ગઠિયાએ ભરૂચના રહીશને કેનાડાના વિઝા અને નોકરી આપવાની લાલચ આપી રૂ.9.54 લાખની ઠગાઇ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો

New Update
Caretaker
રાજ્યકક્ષાના વિદેશમંત્રીના કેરટેકર તરીકેની ઓળખ આપી ગાંધીનગરના ગઠિયાએ ભરૂચના રહીશને કેનાડાના વિઝા અને નોકરી આપવાની લાલચ આપી રૂ.9.54 લાખની ઠગાઇ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ મામલામાં ભરૂચ એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ માટે વિવિધ ટીમ બનાવી છે.
ભરૂચમાં રહેતાં અમિત વાઘેલાએ વર્ષ 2021માં તેમના અને પત્ની તેમજ બે બાળકોના વિઝીટર વિઝા મેળવવા માટે અરજી કરી હતી. જેનો કેનેડા એમ્બેસીમાંથી કોઇ રિપ્લાય આવ્યો ન હતો. દરમિયાનમાં 2022માં તેમના એક પરીચિત થકી ગાંધીનગરના નાના ચિલોડા ખાતે આવેલાં પાર્થ બંગ્લોઝ ખાતે રહેતાં મનમોહન આનંદસ્વરૂપ શ્રીવાસ્તવના પરિચયમાં આવ્યાં હતાં.
તેમણે પોતાની ઓળખ ભારતના રાજ્યકક્ષાના વિદેશમંત્રી ડો. રાજકુમાર રંજન સિંઘના કેર ટેકર તરીકે કામ કરતો હોવાની આપી હતી. વિઝા માટે પ્રયત્ન કરવાનું કહીં મેસેજ આવ્યો હતો કે, તેમનું કામ થઇ જશે.
ભેજાબાજ મનમોહન શ્રી વાસ્તાવેઅભિતભાઈને વિદેશમંત્રીના ઘરે લઈ જઈ ત્યાં તેમની સાથે ફોટા પડાવ્યાં હતાં. બાદમાં તેમના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો લીધા બાદ કામ કરવાના બહાને તબક્કાવાર રીતે કુલ 9.54 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ફરિયાદીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ.વી.યુ ગડરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસકર્મીઓની 2 ટીમ બનાવી છે.ટૂંક જ સમયમાં આરોપી ઝડપાઇ જશે જેની પૂછતાછમાં વધુ વિગતો બહાર આવી શકે છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories