ભરૂચ: અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન થયો પ્રચંડ બ્લાસ્ટ

ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા.જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં ડેટોક્સ ઇન્ડિયામાં બ્લાસ્ટનો મામલો 

  • ફીડ ટેન્કની રેલિંગની કામગીરી દરમિયાન સર્જાય દુર્ઘટના 

  • ચાર કામદારોના કમકમાટીભર્યા મોત

  • જિલ્લા કલેકટરનો પણ કરાયો ઘેરાવ   

  • મૃતકના પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં ફીડ ટેંકમાં રેલીંગ પર વેલ્ડીંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો,સર્જાયેલી ગોઝારી ઘટનામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા ચાર કામદારોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયા હતા.

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના છેવાડે આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડીંગની કામગીરી ચાલી રહી હતી.તે દરમિયાન કોન્ટ્રાકટના કામદારો સારંગપુરના યોલેશ રામબિહારના મૂકેશ સિંગયુપીના હરીનાથ યાદવ અને અશોક રામહુકમ વેલ્ડીંગની કામગીરી કરી રહ્યા હતા.અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા.જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા.

એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈને પડ્યો હતો.પ્રચંડ ધડાકાને લઈ અન્ય કામદારો પણ પ્લાન્ટ માંથી બહાર દોડી આવતા અફરાતફરી મચી હતી. ઘટનાને લઈ જીઆઇડીસી પોલીસડેપ્યુટી ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર ધસી આવી હતી.પરિજનોને ઘટનાની જાણ થતાં તેઓ પણ દુર્ઘટનાગ્રસ્ત કંપનીએ દોડી આવતા આક્રંદનો માહોલ છવાયો હતો.

ડેટોક્સ ઇન્ડિયા પ્રા.લી.માં સર્જાયેલી દુર્ઘટનાને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું,ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેર,અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદિપસિંહ જાડેજા,ડેપ્યુટી ડાયરેક્ટર ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના જીજ્ઞા ચૌહાણ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોને કંપની દ્વારા જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તેમજ દુર્ઘટના સ્થળ પર સુરક્ષા સલામતીની કંપની દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી હતી સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે મોટી ઔધોગિક હોનારતને લઈ જિલ્લા કલેકટર તુષાર સુમેર જ્યારે કમ્પની ખાતે આવી પહોંચ્યા હતા,ત્યારે મૃતકના પરિવારજ નો અને અન્ય કામદારોએ ન્યાયની પુકાર સાથે કલેકટર તુષાર સુમેરાનો ઘેરાવો કરી લીધો હતો.ચારેય મૃતકોના પરિજનો સાથે અન્ય કામદારો વળતર અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી જતા તંત્ર દ્વારા સમજાવટનો દોર શરૂ કરાયો હતો.મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે ઘટના અંગે તંત્રએ તપાસની તજવીજ હાથ ધરી છે.