ભરૂચ: ગીચ ગણાતા ધોળીકુઈ બજાર વિસ્તારમાં 3 માળના મકાનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલા ત્રણ માળના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.છ ફાયર ફાઈટરોએ લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
  • ભરૂચમાં આગના બનાવથી દોડધામ

  • ધોળીકુઈ બજારમાં વિસ્તારમાં આગ ફાટી નિકળી

  • 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ

  • મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

  • 6 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો

Advertisment W3.CSS
ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલા ત્રણ માળના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.છ ફાયર ફાઈટરોએ લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં રહેતા સુધાબેન ઇન્દ્રવદન ગાંધી પૂજાપાનો સામાન વેચવાનો વેપાર કરે છે.ત્રણ માળના મકાનમાં નીચે તેઓની દુકાન આવેલી છે અને ઉપરના ભાગે તેઓએ પૂજાપાનો સામાન સ્ટોર કર્યો હતો ત્યારે આજરોજ બપોરના સમયે ઉપરના માળે અચાનક આગ ફાટી નીકળી હતી. સામાનના કારણે આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આ અંગેની જાણ થતાની સાથે જ ઘરમાં રહેતા લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા પરંતુ જુના ભરૂચના ગીચ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગરપાલિકાના એક પછી એક છ ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.બનાવની ગંભીરતા સમજી ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ વધુ ન પ્રસરે તે માટેની તકેદારી રાખવા ફાયર વિભાગને સૂચના આપી હતી. ફાયર વિભાગની તકેદારીના કારણે આસપાસના મકાનોમાં આગ પ્રસરી ન હતી. આ બનાવમાં કોઈ જાણહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.

New Update

ભરૂચ નગર સેવા સદન દ્વારા યોજાયો કાર્યક્રમ

Advertisment W3.CSS

પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

માય થેલીની થીમ પર કાર્યક્રમની ઉજવણી

પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા અપાયું પ્રોત્સાહન

બહેનોએ કાર્યક્રમમાં લીધો ભાગ 

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.
ભરૂચ નગરપાલિકા, NULM તથા જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી."માય થેલી – પ્લાસ્ટિક બેગને ના કહો" થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા નાગરિકો પાસેથી એકત્ર થયેલા જૂના કે ન વપરાતા કપડાંમાંથી પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને પુનઃવાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે.આ પહેલના માધ્યમથી પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઉભી કરવા સાથે સાથે પર્યાવરણીય જાગૃતિ અને કૌશલ્ય વિકાસનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિષા ગોસ્વામી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તથા મહિલા મંડળની અગ્રણીઓ ઉપસ્થિત રહી આ અનોખી પહેલને વધાવી હતી.