ભરૂચ: ગીચ ગણાતા ધોળીકુઈ બજાર વિસ્તારમાં 3 માળના મકાનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલા ત્રણ માળના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.છ ફાયર ફાઈટરોએ લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
  • ભરૂચમાં આગના બનાવથી દોડધામ

  • ધોળીકુઈ બજારમાં વિસ્તારમાં આગ ફાટી નિકળી

  • 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ

  • મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

  • 6 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલા ત્રણ માળના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.છ ફાયર ફાઈટરોએ લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં રહેતા સુધાબેન ઇન્દ્રવદન ગાંધી પૂજાપાનો સામાન વેચવાનો વેપાર કરે છે.ત્રણ માળના મકાનમાં નીચે તેઓની દુકાન આવેલી છે અને ઉપરના ભાગે તેઓએ પૂજાપાનો સામાન સ્ટોર કર્યો હતો ત્યારે આજરોજ બપોરના સમયે ઉપરના માળે અચાનક આગ ફાટી નીકળી હતી. સામાનના કારણે આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આ અંગેની જાણ થતાની સાથે જ ઘરમાં રહેતા લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા પરંતુ જુના ભરૂચના ગીચ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગરપાલિકાના એક પછી એક છ ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.બનાવની ગંભીરતા સમજી ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ વધુ ન પ્રસરે તે માટેની તકેદારી રાખવા ફાયર વિભાગને સૂચના આપી હતી. ફાયર વિભાગની તકેદારીના કારણે આસપાસના મકાનોમાં આગ પ્રસરી ન હતી. આ બનાવમાં કોઈ જાણહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.