ભરૂચ: મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું સંમેલન યોજાયું, તા.2જી જુલાઈએ આંદોલનની જાહેરાત

ભરૂચમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.2જી જુલાઈએ યોજાનાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું સંમેલન યોજાયું

  • વિવિધ પ્રશ્ને આંદોલનની કરાય જાહેરાત

  • તા.2જી જુલાઈએ કરાશે વિરોધ પ્રદર્શન

  • વેતન સહિતના પ્રશ્ને કરાશે રજુઆત

ભરૂચમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.2જી જુલાઈએ યોજાનાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી
ભરૂચ શક્તિનાથ નજીક  આવેલા લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાની  ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું હતું.મધ્યાહન ભોજન યોજનામાં ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે, છતાં તેમને માત્ર રૂ. 2500 થી રૂ. 4500 સુધીનું માનદ વેતન મળે છે.
આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા, તેના વિરોધરૂપે આગામી 2 જુલાઈ 2025 ના રોજ સમગ્ર દેશમાં જિલ્લાના કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણાં, રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે જે અંગેની રણનીતિ આ સંમેલનમાં ઘડવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: જંબુસરના સ્વરાજ ભવન ખાતે વિશ્વ યોગ દિવસની કરાય ઉજવણી, યોગ-પ્રાણાયમ થકી નિરોગી રહેવા કરાયા પ્રયાસ

ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા

New Update
  • આજે વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી

  • જંબુસરમાં પણ ઉજવણી કરવામાં આવી

  • સ્વરાજ ભવન ખાતે કરાયુ આયોજન

  • મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • આગેવાનોએ પણ કર્યા યોગ

ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા
21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેરે ઠેર કરવામાં આવે છે ત્યારે ભરૂચના જંબુસર નગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જંબુસર સ્વરાજ ભવન ખાતે કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીમાં મામલતદાર એન.એસ. વસાવા, નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમાર, ચીફ ઓફિસર જયદીપ ચૌધરી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિતના આગેવાનો,કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.યોગ ટ્રેનર તરીકે ભર્તુહરી જાદવે યોગ અંગે સવિસ્તાર માહિતી આપી યોગથી થતા ફાયદા જણાવી યોગાસનો, પ્રાણાયામ કરાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી.