ભરૂચ : ભોલાવમાં રૂપિયા 1.64 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી

ભરૂચ ભોલાવ ખાતે રૂપિયા 1.64 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત  ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

New Update
  • ભોલાવમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

  • ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

  • અંદાજિત 1.64 કરોડના ખર્ચે વિકાસકાર્યો કરાયા

  • 30થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

  • સ્થાનિક રહીશોનેમળ્યો સુવિધાનો લાભ

ભરૂચ ભોલાવ ખાતે રૂપિયા 1.64 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત  ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચના  ભોલાવ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અંદાજિત રૂપિયા 1.64 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોના રોજેરોજ આયોજનો થઈ રહ્યા છે. જે અંતર્ગત  ભોલાવની નર નારાયણ સોસાયટી કોમન પ્લોટસૂર્યનારાયણ સોસાયટી તેમજ પાર્થ નગર સોસાયટી કોમન પ્લોટભોલાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,સરપંચ નિમિષા પરમાર,ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.