ભરૂચ: મેહુલિયો ગરબા ગાવા ઉતરતા ખેલૈયાઓનો મૂડ ઓફ, સતત બીજા દિવસે વરસાદના કારણે ગ્રાઉન્ડ ધોવાયા

ભરૂચ શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગરબા આયોજનો મોકૂફ રાખવાની ફરજ પડી હતી તો ગરબા ગ્રાઉન્ડમાં રહેલ સામાન પણ પલળી ગયો હતો

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ

સતત બીજા દિવસે વરસાદ વરસ્યો

ગરબા ગ્રાઉન્ડ વરસાદમાં ધોવાયા

ખેલૈયાઓનો મૂડ બગડ્યો

આજે પણ વરસાદની આગાહી

ભરૂચ શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગરબા આયોજનો મોકૂફ રાખવાની ફરજ પડી હતી તો ગરબા ગ્રાઉન્ડમાં રહેલ સામાન પણ પલળી ગયો હતો

ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરાત્રિના સમયે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ગરબા આયોજકો ચિંતાતુર બન્યા હતા. મોડી રાત સુધી અવિરત વરસાદ વરસતા અનેક જગ્યાએ ગરબાના આયોજનો મોકૂફ રાખવાની ફરજ પડી હતી. અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારો ભરૂચ શહેર, નેત્રંગ, વાલીયા અને હાસોટ પંથકમાં વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં સામાન પલળી ગયો હતો. બે દિવસથી મેઘરાજા ખેલૈયાઓનું મૂડ બગાડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં  ભરૂચમાં 2 મી.મી.,અંકલેશ્વરમાં 3 મી.મી.,હાંસોટ 5 મી.મી.,વાલીયામાં 13 મી.મી. અને નેત્રંગમાં 8 મી.મી.વરસાદ નોંધાયો હતો.આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે ત્યારે નવરાત્રિના અંતિમ દિવસે પણ મેઘરાજા ગરબાના આયોજનમાં વિક્ષેપ પાડી શકે છે

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.