ભરૂચ: દહેજના જોલવા ગામેથી માતાના પ્રેમીએ 2 વર્ષમાં બાળકનું કર્યું અપહરણ, મુંબઈથી અપહરણકારની ધરપકડ

ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીઓ બે વર્ષના બાળકનો અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે મુંબઈના વસઇ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું

New Update

ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીઓ બે વર્ષના બાળકનો અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે મુંબઈના વસઇ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું

ભરૂચના દહેજ નજીક આવેલ જોલવા ગામે રહેતી એક મહિલાના બે વર્ષના બાળકની અપહરણની ઘટના બની હતી. આ અંગેની તેઓએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દહેજ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા સમજી વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના વસઈ ખાતે છે અને તે બાળકને ટ્રેનમાં બેસાડી ત્યાં લઈ ગયો છે જેના આધારે પોલીસે એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે રવાના કરી હતી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે મૂળ બિહારના રહેવાસી અને હાલ બેંગ્લોર ખાતે રહેતા અનિલ ધતુરી યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે.આરોપી અને બાળકની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ તરફ આરોપી અનિલ યાદવને સંતાન ન હોય તે આ બાળક સાથે રહેવા માંગતો હતો જેથી તેણે બે વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

ભરૂચ: આત્મીય ગ્રીન સ્કૂલમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવાર ભાવવિભોર માહોલમાં એકત્રિત થયો હતો અને બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કર્યો

New Update
Atmiya Green School
ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવાર ભાવવિભોર માહોલમાં એકત્રિત થયો હતો અને બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભે શાળાના મેનેજીંગ ડાયરેક્ટર પ્રવિણ કાછડીયાએ દુઃખની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, આ દુર્ઘટનાએ અંનેક પરિવારોને અપૂરણી ખોટ પહોંચાડી છે. 
પ્રાર્થના કરીએ કે ઇશ્વર મૃત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.આ કાર્યક્રમમાં વાલીગણ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સહભાગી બની સહાનુભૂતિપૂર્ણ શાંતિ સભા યોજી હતી સાથે જ વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી અને સંવેદનાની ભાવના વ્યક્ત કરી હતી.
Latest Stories