ભરૂચ: દહેજના જોલવા ગામેથી માતાના પ્રેમીએ 2 વર્ષમાં બાળકનું કર્યું અપહરણ, મુંબઈથી અપહરણકારની ધરપકડ

ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીઓ બે વર્ષના બાળકનો અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે મુંબઈના વસઇ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું

New Update

ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીઓ બે વર્ષના બાળકનો અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે મુંબઈના વસઇ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું

ભરૂચના દહેજ નજીક આવેલ જોલવા ગામે રહેતી એક મહિલાના બે વર્ષના બાળકની અપહરણની ઘટના બની હતી. આ અંગેની તેઓએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દહેજ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા સમજી વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના વસઈ ખાતે છે અને તે બાળકને ટ્રેનમાં બેસાડી ત્યાં લઈ ગયો છે જેના આધારે પોલીસે એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે રવાના કરી હતી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે મૂળ બિહારના રહેવાસી અને હાલ બેંગ્લોર ખાતે રહેતા અનિલ ધતુરી યાદવ નામના આરોપીની ધરપકડ કરી છે.આરોપી અને બાળકની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ તરફ આરોપી અનિલ યાદવને સંતાન ન હોય તે આ બાળક સાથે રહેવા માંગતો હતો જેથી તેણે બે વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ, સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ પહોંચી ન શક્યું

સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..

New Update
  • અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ

  • સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ

  • શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી

  • શાળા છૂટયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી

  • સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ ન પહોંચી શક્યું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર  વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય.