ભરૂચ : ઝઘડિયાના ગુમાનેદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધીના રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરતા સાંસદ મનસુખ વસાવા

ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધીના રસ્તાની કામગીરી અંગે સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરને રસ્તાની કામગીરી યોગ્ય રીતે અને ઝડપથી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી

New Update
  • રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરતા સાંસદ

  • ગુમાનદેવ ફાટકથી મુલદ સુધીનો રસ્તો છે ખખડધજ

  • હાલમાં રસ્તાની ચાલી રહી છે કામગીરી

  • સાંસદે રસ્તાની કામગીરીને લઈને કર્યા જરૂરી સૂચન

  • આગામી 15મી ફેબ્રુઆરી સુધીમાં રસ્તો શરુ થી શકે છે 

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધી રસ્તાની કામગીરી ચાલી રહી છે,અને રસ્તાનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,અને યોગ્ય રીતે ઝડપથી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયાને જોડતા કડીરૂપ મુલદ ચોકડીથી ગુમાનદેવ સુધીનો માર્ગ અત્યંત ખખડધજ થઇ ગયો હતો,જોકે હાલમાં આ માર્ગની કામગીરી ચાલી રહી છે,ત્યારે સાંસદ મનસુખ વસાવા દ્વારા આ રસ્તાની કામગીરી સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધીના રસ્તાની કામગીરી અંગે સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરને રસ્તાની કામગીરી યોગ્ય રીતે અને ઝડપથી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.

જાણવા મળ્યા મુજબ આગામી તારીખ 15 ફેબ્રુઆરી સુધીમાં મુલદ થી નાના સાંજા ફાટક સુધીના રોડની કામગીરી પૂર્ણ થશે અને રોડની જમણી બાજુનો મોટાભાગનો રસ્તો ચાલુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુમાનદેવ ફાટક થી મુલદ બ્રિજ સુધીના રસ્તાની કામગીરી હાલ ચાલુ છે. તેમાં કામગીરી દરમિયાન ખાનગી મિલકતના વાદ - વિવાદને લઈને ઉપરાંત વિજપોલ તથા હાઈટેન્શન ટાવર અને વૃક્ષો રસ્તામાં આવતા હોવાના કારણે રસ્તાની કામગીરી વિલંબમાં પડી હતી.જેના કારણે વાહન ચાલકોએ ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડી છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં જોડાયા

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • આજે આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી

  • ભરૂચના નેત્રંગમાં યોજાયો કાર્યક્રમ

  • આદિવાસી દિવસની કરવામાં આવી ઉજવણી

  • કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી જોડાયા

  • ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે, એ છેતરપીંડીથી મેળવ્યા છે જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.

તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ કરવામાં આવે છે.
Latest Stories