New Update
-
ભરૂચ ભાજપનો વિવાદ
-
સાંસદ જ ભાજપના પ્રમુખથી નારાજ
-
મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયા પર લખી પોસ્ટ
-
હોદ્દેદારોની નિમણુંકમાં વિશ્વાસમાં ન લીધા હોવાના આક્ષેપ
-
પ્રકાશ મોદીએ તમામ આક્ષેપ ફગાવ્યા
ભરૂચના સાંસદ મનુસખા વસાવા જિલ્લા ભાજપના નવનીત પ્રમુખ પ્રકાશ મોદીથી નારાજ હોવાની વિગતો બહાર આવી રહી છે.મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોનો મત ન લેવાયો હોવાના જિલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા
એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે. આ પોસ્ટમાં નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી સામે હૈયાવરાળ ઠાલવી છે. મનસુખ વસાવે પોસ્ટ કરી કહ્યું છે કે સંગઠનની નવી નિમણૂકો માટે પ્રમુખે સાંસદ અને ધારાસભ્યોએ સૂચવેલા નામોને ધ્યાને લીધા નથી.આ ઉપરાંત પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાના કારણે આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના અસર પાડવાનો પણ ભય વ્યક્ત કરાયો છે.
સાથે જ મનસુખ વસાવાએ ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીને આત્મમંથન કરવાની પણ સલાહ આપી છે.સાંસદના આક્ષેપ સામે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે તમામ લોકોને સાથે રાખીને જ આ નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક પાર્ટીનો નિર્ણય છે તેમનો પોતાનો નથી
Latest Stories