ભરૂચ: નવનિયુક્ત BJP પ્રમુખ પ્રકાશ મોદીથી MP મનસુખ વસાવા નારાજ, હોદ્દેદારોની નિમણુંક બાબતે ગજગ્રાહ !

એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.

New Update
  • ભરૂચ ભાજપનો વિવાદ

  • સાંસદ જ ભાજપના પ્રમુખથી નારાજ

  • મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયા પર લખી પોસ્ટ

  • હોદ્દેદારોની નિમણુંકમાં વિશ્વાસમાં ન લીધા હોવાના આક્ષેપ

  • પ્રકાશ મોદીએ તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચના સાંસદ મનુસખા વસાવા જિલ્લા ભાજપના નવનીત પ્રમુખ પ્રકાશ મોદીથી નારાજ હોવાની વિગતો બહાર આવી રહી છે.મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોનો મત ન લેવાયો હોવાના જિલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા
એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.ભરૂચના સાંસદ  મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે. આ પોસ્ટમાં નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી સામે હૈયાવરાળ ઠાલવી છે. મનસુખ વસાવે પોસ્ટ કરી કહ્યું છે કે સંગઠનની નવી નિમણૂકો માટે પ્રમુખે સાંસદ અને ધારાસભ્યોએ સૂચવેલા નામોને ધ્યાને લીધા નથી.આ ઉપરાંત પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાના કારણે આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના અસર પાડવાનો પણ ભય વ્યક્ત કરાયો છે.
સાથે જ મનસુખ વસાવાએ ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીને આત્મમંથન કરવાની પણ સલાહ આપી છે.સાંસદના આક્ષેપ સામે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે તમામ લોકોને સાથે રાખીને જ આ નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક પાર્ટીનો નિર્ણય છે તેમનો પોતાનો નથી
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.