ભરૂચ: સાંસદ મનસુખ વસાવા દ્વારા હોળી સ્નેહમિલન સમારોહ યોજાયો, એકમેકને રંગ લગાવી પર્વની કરાય ઉજવણી

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પોલીસને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકમેકને રંગ લગાવી હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી

New Update
  • હોળીના પર્વની ઠેર ઠેર ઉજવણી

  • ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા યોજાયો કાર્યક્રમ

  • હોળી સ્નેહમિલન સમારોહનું કરાયુ આયોજન

  • એકમેકને રંગ લગાવી કરાય ઉજવણી

  • હોળીના પર્વની શુભકામના પાઠવાય

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પોલીસને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકમેકને રંગ લગાવી હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી

રંગોના પર્વ હોળી ધુળેટીની ઠેરઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પત્રકારોને હોળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો એકમેકને રંગ લગાવી હોળીના પર્વની ઉજવણી કરાઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ ભરૂચવાસીઓને હોળીના પર્વની શુભકામના પાઠવવા સાથે ભૂ માફિયાઓ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સરકારના પારદર્શક વહીવટના કારણે જ આવા તત્વો પર કાર્યવાહી થાય છે અને આગામી દિવસોમાં પણ થતી રહેશે.

Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.