ભરૂચ: નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણા ચૂકવવા કરાઈ માંગ

ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવા બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

New Update
  • સાતમાં પગારપંચના પગારના તફાવતના નાણાનો મામલો

  • પેન્શનર્સ મંડળ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને કરાઈ રજૂઆત

  • 400 કરતા પણ વધુ નિવૃત કર્મચારીને નથી મળ્યા નાણા

  • તંત્ર દ્વારા માત્ર ઠાલા વચનો જ આપવામાં આવે છે

  • નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી કરાઈ માંગ 

ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવા બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા.જેઓએ પાલિકાના ચીફ ઓફિસરને 400 કરતા પણ વધુ નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા સાતમા પગારપંચના પગારના તફાવતના નાણા ચૂકવવાની માંગ કરી હતી,અને આ અંગેની ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.પાલિકાના કર્મચારીઓને બે વર્ષ પહેલા આ તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે,પણ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆત બાદ પણ હજુ તે ચૂકવવામાં આવ્યા નથી,માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.