ભરૂચ : નગરપાલિકાએ વેસ્ટ માંથી બેસ્ટનું કર્યું સર્જન,શાકભાજીના કચરામાંથી કમ્પોઝડ ખાતર બનાવવાની કરી શરૂઆત

ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ન હોવાના કારણે આ કચરાનો નિકાલ મોટી સમસ્યા ઉભી કરે છે. સમયાંતરે લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે

New Update
  • નગરપાલિકાએ કર્યું વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન

  • શાકભાજીના કચરામાંથી બનાવ્યું કમ્પોઝડ ખાતર

  • મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો

  • અંદાજે 5 ટન સુધી શાક અને ફળનો કચરો નીકળે છે 

  • મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ કરી ઉભી  

ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ન હોવાના કારણે આ કચરાનો નિકાલ મોટી સમસ્યા ઉભી કરે છે. સમયાંતરે લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે,ત્યારે હવે કચરાના નિકાલના વૈકલ્પિક સ્ત્રોત ઉભા કરવામાં આવી રહ્યા છે.

ભરૂચ શહેરમાં 15 હજાર કોમર્શિયલ અને 45 હજાર રેસીડેન્સીયલ પ્રોપર્ટીના ડોમેસ્ટીક વેસ્ટનો ટનબંધ કચરો નીકળે છે. પાલિકા ડોર ટુ ડોર ફેસિલીટી અંતર્ગત આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઈટમાં ફેંકાવી નિકાલના ગતકડા કરે છે. અને આ મામલે ઉહાપોહ મચે કે તુરંત કામગીરી અટકાવી દેવાય છે. આ સાથે ગંદકીનો ખડકલો સર્જાવા માંડે છે. કાયમી બનતી સમસ્યાનો હલ કાઢવા હવે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવા તરફ આગળ વધી રહી છે. ભરૂચમાં એપીએમસી માર્કેટ સહિત શાક માર્કેટ માંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા 5 ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોઝ ખાતર બનાવી ભરૂચને હરિયાળું બનાવવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ભરૂચ શહેરની વસ્તી 2.25 લાખ છે,અને 2 એપીએમસી માર્કેટ કાર્યરત છે,જયારે 8 નાના મોટા શાક અને ફ્રૂટ માર્કેટ પણ છે.એક અંદાજ મુજબ દરરોજ 5 હજાર કિલો સુધી શાક અને ફળફળાદીનો કચરો નીકળે છે. અત્યાર સુધી કચરો ડિસ્પોઝલ સાઈટમાં ફેંકવામાં આવતો હતો,હવે શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી કમ્પોઝડ ખાતર બનાવવામાં આવી રહ્યું છે.ભરૂચ નગરપાલિકાએ જે બી મોદી પાર્ક નજીક મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ ઉભી કરી શાકભાજીને 3 પ્રોસેસ બાદ ખાતરમાં પરિવર્તિત કરાઈ રહ્યુ છે.

ભરૂચ નગરપાલિકા પ્રારંભિક તબક્કામાં મહિનાનું 65 ટન ખાતર ઉત્પાદિત કરે છે. આ ખાતર ભરૂચ શહેરના નાના મોટા 10 થી વધુ બગીચાઓમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી બગીચાઓમાં ખાતર પાછળ વાર્ષિક લાખોનો ખર્ચ થતો હતો. જે હવે શૂન્ય બન્યો છે.

Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.