-
ભરૂચમાં સ્થાનિકોએ કર્યું હતું વિરોધ પ્રદર્શન
-
જેબી મોદી પાર્ક નજીક કચરા બાબતે વિરોધ
-
નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો ખુલાસો
-
પાર્ક નજીકથી કચરો મોટા વાહનોમાં કરવામાં આવે છે ટ્રાન્સફર
-
દુર્ગંધ ન ફેલાય એ માટે કેમિકલનો કરવામાં આવે છે છંટકાવ
ભરૂચના જે.બી. મોદી પાર્ક નજીક નગર સેવા સદન દ્વારા કચરો ઠાલવવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે આ મામલે નગર સેવા સદન દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક નજીક આવેલા ગેરેજ વિસ્તારમાં પાલિકા દ્વારા ઠલવાતા કચરાની દુર્ગંધથી કંટાળેલા લોકોએ વિરોધ પ્રદર્શન કરતા આજે નગર પાલિકાના ચીફ ઓફિસરે ગેરેજમાં કચરો ઠાલવવા સંદર્ભે ખુલાસો આપો હતો. નગરપાલિકા દ્વારા ડોર ટૂ ડોર યોજના હેઠળ એકત્ર કરાયેલ ડોમેસ્ટિક વેસ્ટ ગેરેજમાં ઠાલવવામાં આવતા આસપાસની ચાર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. કચરાની તીવ્ર દુર્ગંધને કારણે સ્થાનિક રહેવાસીઓએ પરેશાન થઈ રવિવારે રામધૂનના કાર્યક્રમ સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશોનું કહેવું છે કે દરરોજ અહીં લાવાતા કચરામાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે. આસપાસ રહેતા વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે આ સ્થિતિ અસહનીય બની ગઈ છે.
સ્થાનિકોના રોષ સામે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે નિવેદન આપ્યું છે. પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે તંત્ર નાના વાહનો દ્વારા એકત્ર કરેલો ઘરેલુ કચરો અહીં લાવીને મોટા વાહન દ્વારા અંકલેશ્વરના ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દુર્ગંધ નાશક કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવે છે.
હાલ તો રહીશો અને નગરપાલિકા વચ્ચે આ મુદ્દે તણાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક કચરા નિકાલની વ્યવસ્થા બદલવામાં આવે અને સ્થાયી ઉકેલ લાવવામાં આવે.