ભરૂચ પાલિકાનો "નવતર અભિગમ" : લોકોને સૂકો-ભીનો કચરો અલગ રાખવા સમજૂતી અપાય, મહિલાઓની 16 ટીમ મેદાનમાં ઉતરી...

ભરૂચમાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળી રહે તેવા અભિગમ સાથે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડમાં સૂકા અને ભીના કચરાને અલગ અલગ કરવા અંગે સમજ આપવા મહિલાઓની 16 ટીમો મેદાનમાં ઉતરી છે.

New Update
  • સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળી રહે તેવો અભિગમ

  • નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતગર્ત આયોજન

  • પાલિકા વિસ્તારમાં લોકોને સૂકા-ભીના કચરાની સમજ અપાય

  • ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સૂકો-ભીનો કચરો અલગ રાખવા અપીલ

  • લોકોને છેલ્લા 3 મહિનાથી સમજૂતી આપી રહી મહિલાઓની ટીમ

ભરૂચમાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળી રહે તેવા અભિગમ સાથે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડમાં સૂકા અને ભીના કચરાને અલગ અલગ કરવા અંગે સમજ આપવા મહિલાઓની 16 ટીમો મેદાનમાં ઉતરી છે.

ભરૂચ નગરપાલિકામાં નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન યોજના હેઠળ સ્વસહાય જૂથ ચલાવવામાં આવી રહ્યા છેત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વસહાય જૂથની મહિલાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરવા લોકોની સમજૂતી આપી રહી છે. જે અંતર્ગત મહિલાઓની ડોર ટુ ડોરની એક્ટીવીટી માટે 16 ટીમ બનાવવામાં આવી છે. જે ટીમ પાલિકા હદ વિસ્તારના દરેક વોર્ડમાં છેલ્લા 3 મહિનાથી ઘરે ઘરે જઈ વેસ્ટ કલેક્શન તથા ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી આપી રહી છે.

જોકેકેટલાક શહેરીજનોને હજી પણ ભીના અને સૂકા કચરા વિશે માહિતી ન હોવાથી તેઓ તેને ભેગો કરી દેતાં હોય છે. પરંતુ વાસ્તવમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ટેમ્પામાં સુકો અને ભીનો કચરો અલગ અલગ આપવાનો હોય છે. રોજેરોજ ચાલતી ડોર ટુ ડોર એક્ટીવીટી કરતી મહિલાઓનું મોનીટરીંગ પાલિકાના મુખ્ય અધિકારી સહિત NULM શાખા કરી રહ્યા છે. આ પ્રવૃત્તિથી મહિલાઓને રોજગારી પણ મળી રહે છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.