ભરૂચ: નગર સેવા સદનનું રૂ.201 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજુર, ઓમકારનાથ ભવનનું કરાશે નવીનીકરણ

ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26 માટે રૂ.46.42 કરોડની પુરાંતવાળુ  રૂ.201 કરોડનું બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે  મળેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે  મંજુર કરવામાં આવ્યું હતું.

New Update

બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન, રૂ.201 કરોડના બજેટને મંજૂરી અપાય

Advertisment

ભરૂચ નગર સેવાસદનની બજેટલક્ષી  ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી. જેના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ 2025 _ 26 નું 46.42 કરોડની પુરાંતવાળું રૂપિયા 201 કરોડનું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગ ઉપવન, પંડિત ઓમકાર નાથ ઠાકુર કલાભવનનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશ તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું.

તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈ કરાઇ હોવાનું કહ્યું હતું. પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ એક નેશન એક ઇલેક્શન ના સમર્થન ન ઠરાવ નો વિપક્ષી સભ્યોએ વિરોધ કરતા શાસક પક્ષે તેને બહુમતીના જોરે મંજૂરી ની મ્હોર મારી હતી.

વિપક્ષના નેતા સમસાદ અલીએ બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી જે વિકાસ કાર્યો  રજૂ કરાયા છે તેને આવકાર્યા હતા પણ તેઓ ધ્વારા લેખિતમાં આઠ જેટલા મુદ્દા બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ફાટા તળાવ ખાતે પે એન્ડ પાર્કની સુવિધા નો જ સમાવેશ કરાયો છે પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે, હોકર્સ ઝોન, રખડતા ઢોરોની સમસ્યા ,તેમજ ભરૂચની ઓળખ એવા અને ધરતીકંપમાં ધરાશયી થયેલ વિક્ટોરિયા ટાવરના પુનઃ નિર્માણ,પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન, સ્લોટર હાઉસ પુનઃ શરૂ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ જ કરવામાં નથી આવ્યો તો તે અંગે વિચાર કરવા કહ્યું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment