ભરૂચ: નગર સેવા સદનનું રૂ.201 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજુર, ઓમકારનાથ ભવનનું કરાશે નવીનીકરણ

ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26 માટે રૂ.46.42 કરોડની પુરાંતવાળુ  રૂ.201 કરોડનું બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે  મળેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે  મંજુર કરવામાં આવ્યું હતું.

New Update

બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન, રૂ.201 કરોડના બજેટને મંજૂરી અપાય

ભરૂચ નગર સેવાસદનની બજેટલક્ષી  ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી. જેના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ 2025 _ 26 નું 46.42 કરોડની પુરાંતવાળું રૂપિયા 201 કરોડનું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગ ઉપવન, પંડિત ઓમકાર નાથ ઠાકુર કલાભવનનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશ તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું.

તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈ કરાઇ હોવાનું કહ્યું હતું. પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ એક નેશન એક ઇલેક્શન ના સમર્થન ન ઠરાવ નો વિપક્ષી સભ્યોએ વિરોધ કરતા શાસક પક્ષે તેને બહુમતીના જોરે મંજૂરી ની મ્હોર મારી હતી.

વિપક્ષના નેતા સમસાદ અલીએ બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી જે વિકાસ કાર્યો  રજૂ કરાયા છે તેને આવકાર્યા હતા પણ તેઓ ધ્વારા લેખિતમાં આઠ જેટલા મુદ્દા બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ફાટા તળાવ ખાતે પે એન્ડ પાર્કની સુવિધા નો જ સમાવેશ કરાયો છે પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે, હોકર્સ ઝોન, રખડતા ઢોરોની સમસ્યા ,તેમજ ભરૂચની ઓળખ એવા અને ધરતીકંપમાં ધરાશયી થયેલ વિક્ટોરિયા ટાવરના પુનઃ નિર્માણ,પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન, સ્લોટર હાઉસ પુનઃ શરૂ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ જ કરવામાં નથી આવ્યો તો તે અંગે વિચાર કરવા કહ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.