ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શનદિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.