ભરૂચ: વિશ્વ કલ્યાણની ભાવનાથી ગુમાનદેવના મહંત મનમોહન દાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો

ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્ર ગુમાણદેવના મહંત મનમોહનદાસજી દ્વારા વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચનું સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ

  • ગુમાન દેવના મહંત દ્વારા નર્મદા પરિક્રમનો પ્રારંભ

  • મનમોહન દાસજી દ્વારા પરિક્રમનો પ્રારંભ કરાયો

  • વિશ્વ કલ્યાણની ભાવનાથી પરિક્રમનું આયોજન

  • શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્ર ગુમાણદેવના મહંત મનમોહનદાસજી દ્વારા વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિશ્વની એકમાત્ર નદી પાવન સલીલા માં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે ત્યારે નર્મદા પરિક્રમાનું શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ આલેખવામાં આવ્યું છે. ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત મનમોહનદાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.વિશ્વ કલ્યાણની ભાવના અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. પરિક્રમાના પ્રારંભ પૂર્વે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ તેમના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને સાથે જ શોભાયાત્રાનું પણ આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.