New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
નીટ પરીક્ષાનું આયોજન કરાયુ
-
4 કેન્દ્રો પર પરીક્ષા યોજાય
-
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
-
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન
ભરૂચ જિલ્લામાં કુલ ચાર પરીક્ષા કેન્દ્ર પર 1900 જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય પદ્ધતિની પ્રવેશ પરીક્ષા નીટની એક્ઝામ આપી હતી
ભરૂચ જિલ્લામાં આજે NEET-2025ની રાષ્ટ્રીય પધ્ધતિની પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાર અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર હતી. સમગ્ર જિલ્લામાં કુલ 1968 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી રહ્યા છે. NEET પરીક્ષાની કામગીરી માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ જરૂરી આયોજન અગાઉથી કરી લેવામાં આવ્યું હતું. જે.પી કોલેજમાં 528, એમ.કે. કોલેજમાં 480, અંકલેશ્વર કોલેજમાં 480 અને જી.એન.એફ.સી. નર્મદા વિદ્યાલયમાં પણ 480 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે.પરીક્ષાની પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને દરેક કેન્દ્ર પર CCTV કેમેરા દ્વારા નિરીક્ષણ રાખવામાં આવ્યું રહ્યું છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પીવાના પાણી સહિતની સુવિધાઓ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
Latest Stories