ભરૂચ: લીંક રોડ પર  કુખ્યાત બુટલેગરનો પુત્ર બન્યો બેફામ

ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને  કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.

New Update

ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને  કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.

ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતીક રણજીતસિંહ સોલંકી દહેજમાં આવેલ હ્યુબેક કલર કંપનીમાં ફરજ બજાવે છે.ગતરોજ તેની સેકન્ડશીપ હોય રાત્રીના 12:30 વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાની મોપેડ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો.જો કે પ્રતીકની મોપેડ બંધ થઈ જતા તેણે તેના મિત્ર પ્રથમ પરમારને લેવા માટે બોલાવ્યો હતો.
આ બંને મીત્રો પૈકી પ્રતિકે પ્રથમની એક્ટિવા ચલાવી પોતાની મોપેડને પગ વડે ધક્કો મારી લઈ ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ભરુચના લિન્ક રોડ ઉપર માતરિયા તળાવ પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ઇનોવા કાર ચાલકે મોપેડને ધક્કો મારતા પ્રતીક સોલંકી પર ચઢાવી દીધી હતી અને કાર ચાલક યુવાનને ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો જેમાં યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યુ હતું.અકસ્માત સ્થળે લોક ટોળાં ભેગા થતાં કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુષ્પધન સોસાયટીમાં રહેતો બૂટલેગર નિલેશ મિસ્ત્રીનો પુત્ર યશ  મિસ્ત્રીની હોવાનું ખુલ્યું હતું.જોકે પોલીસે તેને પકડવા માટે ગઈ ત્યારે તે ઘરે હાજર મળી આવ્યો ન હતો.આ મામલે પ્રતીકના પરિવારજનો એ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે આરોપી મિસ્ત્રી સમાજનો હોય તેમના પર કોઈનું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા જો પોલીસ આરોપીને નહિ પકડે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વિકારવાની માગ કરી હતી.જોકે આ અંગે પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા.
Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.