ભરૂચ : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે માઁ નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા...

આજરોજ નર્મદા જયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્ટેચ્યું પાર્ક સ્થિત માઁ નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.

New Update
  • મહાસુદ સાતમના રોજ પાવન સલીલા માઁ નર્મદાજીનો જન્મોત્સવ

  • નર્મદા જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા પુષ્પ અર્પણ કરતો કાર્યક્રમ

  • બ્રહ્મસમાજ દ્વારા માઁ નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના આગેવાનો-સભ્યોની ઉપસ્થિતિ

આજરોજ નર્મદા જયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્ટેચ્યું પાર્ક સ્થિત માઁ નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.

આજરોજ તા. 4 ફેબ્રુઆરી મહાસુદ સાતમના રોજ પાવન સલીલા માઁ નર્મદાજીના જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના ઉપસ્થિત હોદેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદાષ્ટકમના ઉચ્ચારણ સાથે માઁ નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. આ પ્રંસગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલચેરમેન શૈલેષ દવેશ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લનર્મદા ચેનલના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.