ભરૂચ: વર્લ્ડ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું કરાયુ આયોજન, 70 સેન્ટરમાં કેમ્પ યોજાયો

31 મે વર્લ્ડ તમાકુ નિષેધ દિવસના અવસરે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં વિશાળ સ્તરે ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • આજે તારીખ 31મી મે

  • વર્લ્ડ તમાકુ નિષેધ દિવસ

  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • 70 સેન્ટરોમાં કેમ્પ યોજાયો

  • ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

આજે વર્લ્ડ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ઓરલ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોનું સક્રિનીંગ કરવામાં આવ્યું હતું
31 મે વર્લ્ડ તમાકુ નિષેધ દિવસના અવસરે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં વિશાળ સ્તરે ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ઝઘડિયા, દહેજ સહિત કુલ 70 જેટલા સેન્ટરોમાં યોજાયો હતો.આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં ઓરલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવી, તેનું વહેલું નિદાન કરવું અને અસરકારક સારવાર માટે માર્ગદર્શન આપવાનો હતો. તમાકુ સેવનના કારણે થતું ઓરલ કેન્સર એક ગંભીર સમસ્યા છે, જેને નિયંત્રિત કરવા માટે આ પ્રકારના કેમ્પો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.