ભરૂચ: JP કોલેજમાં B.SCના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ B.Scના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં આવેલી છે જેપી કોલેજ

  • કોલેજમાં કાર્યક્રમનું કરાયુ આયોજન

  • બી.એસ.સી.ના વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

  • કોલેજના 230 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

  • કોલેજ પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ B.Scના  ફર્સ્ટયરના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ B.Scના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 230 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. એન.બી. પટેલ, વિદ્યાર્થી સંઘના ચેરમેન ડો. દિપક અદ્રોજા , જીમખાના ચેરમેન ડો. જયપાલસિંહ મોરી તથા તમામ પ્રાધ્યાપક મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓને કોલેજ અંગે માહિતી આપવામાં આવી તેમજ નવા શૈક્ષણિક વર્ષ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિઝિક્સ વિભાગના પ્રાધ્યાપક પ્રકાશ નાયક દ્વારા કરાયું હતું.
Latest Stories