ભરૂચ: રામનવમીના પર્વને અનુલક્ષી B ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • ભરૂચમાં રામનવમીના પર્વની કરાશે ઉજવણી

  • કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

  • પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ

  • હિન્દૂ મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

આગામી રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોમી એખલાસભર્યા વાતાવરણમાં રામનવમીનું પર્વ ઉજવાય તે માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તહેવારોના સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
Advertisment
Read the Next Article

ભરૂચ: જંબુસના મગણાદ ગામના 10 દિવસથી ગુમ વ્યક્તિનું  કંકાલ મળી આવ્યું,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામના રહેવાસી નરેન્દ્ર રામસિંહ રાજ નામના 10 દિવસથી ગુમ થયેલા વ્યક્તિનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
Screenshot_2025-05-31-10-00-11-72_92460851df6f172a4592fca41cc2d2e6

ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામના રહેવાસી નરેન્દ્ર રામસિંહ રાજ નામના 10 દિવસથી ગુમ થયેલા વ્યક્તિનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment
કંકાલ જંબુસર નજીક આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના ભાગમાંથી મળી આવ્યો હતો. નરેન્દ્ર રામસિંહ રાજ છેલ્લા દસ દિવસથી ગુમ થયેલા હતા.
પરિવારજનો અને ગામલોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ મળી નહતી.જે બાદ ગતરોજ ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના વિસ્તારમાંથી દુર્ગંધ આવતી હોવાના સંકેત મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી જંબુસર પોલીસને ત્યાં કંકાલ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કંકાલને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડયો હતો.
પોલીસે મોતનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisment
Advertisment