ભરૂચ: રામનવમીના પર્વને અનુલક્ષી B ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • ભરૂચમાં રામનવમીના પર્વની કરાશે ઉજવણી

  • કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

  • પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ

  • હિન્દૂ મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

આગામી રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોમી એખલાસભર્યા વાતાવરણમાં રામનવમીનું પર્વ ઉજવાય તે માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તહેવારોના સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.