ભરૂચ: ભાડે લીધેલ મકાન પચાવી પાડનાર મહિલાની પોલીસે કરી ધરપકડ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો

ભરૂચ એ ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહિલાએ ભાડે લીધેલ ઘર પર કબજો જમાવી દીધો હતો

New Update
  • ભરૂચ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાય

  • મહિલાની પોલીસે કરી ધરપકડ

  • ભાડે લીધેલ મકાન પચાવી પાડ્યું હતું

  • મકાન માલિકે ગુનો દાખલ કરાવ્યો હતો

ભરૂચ એ ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહિલાએ ભાડે લીધેલ ઘર પર કબજો જમાવી દીધો હતો જેની સામે મકાન માલિકે ગુનો દાખલ કરાવ્યો હતો.
ભરૂચ શહેરમાં અવાર નવાર અનેક લોકો મકાનો પર કબ્જો કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. એવી જ એક ઘટના ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલ ચિસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી જે ઘટનામાં સિરીન નામની ઠગ મહિલાએ હું ડોક્ટર છું મે મકાન લઈ લીધું છે 15 દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રેહવા માંગ્યું હતું તો મકાન માલિક અજીજભાઈએ 15 દિવસ માટે મકાન આપ્યું હતુ. ત્યાર બાદ 15 દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સિરિનએ મકાન હજી 15 દિવસ માટે આપો એમ કહ્યું હતું.1 મહિના બાદ પણ મકાન ખાલી નહિ કરતા મકાન માલિક અજીજભાઈએ સિરીનને મકાન ખાલી કરી આપો કહેતા સિરીન નામની ઠગ મહિલાએ ધાક ધમકી આપી હતી.આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીજભાઈએ કાયદાનો સહારો લઈ 2023ના વર્ષમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જેને તંત્રએ માન્ય રાખતા એ ડિવિઝન પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.