ભરૂચ: જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી, સંકલનની બેઠકમાં કરાય જાહેરાત

ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી

New Update
  • ભરૂચ જિલ્લા ભાજપને મળ્યા નવા પ્રમુખ

  • નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી

  • પ્રકાશ મોદી છે પાયાના કાર્યકર

  • સંકલનની બેઠકમાં કરવામાં આવી જાહેરાત

  • આગેવાનોએ અભિનંદન પાઠવ્યા

Advertisment W3.CSS
ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે આશ્ચર્યજનક રીતે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવી છે. પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે ત્યારે તેઓના નામની જાહેરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે કરી હતી

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રકાશ મોદીના નામની જાહેરાત થતા જ શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા પ્રકાશ મોદી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ઉપરાંત આર.એસ.એસ.ના આગેવાન અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળીના સાળા છે. શિરીષ બંગાળી પર ડી. ગેંગે હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું.

ડી ગેંગ દ્વારા જાહેર કરાયેલ હિટલિસ્ટમાં પ્રકાશ મોદીનું નામ પણ હતું જે તે સમયે પ્રકાશ મોદીને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું. પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે અને હાલ તેઓ રાષ્ટ્રીય જન સંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજકની જવાબદારી નિભાવી રહ્યા છે. પ્રકાશ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાવના કારણે ભરૂચમાં જાણીતો ચહેરો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાની ટર્મમાં ભાજપે ભરૂચ જિલ્લામાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. જેમાં તમામ પાંચ વિધાનસભા, જિલ્લા પંચાયત, તમામ નવ તાલુકા પંચાયત સહિત ચારે ચાર નગરપાલિકામાં ભાજપે ભાગવો લહેરાવ્યો હતો ત્યારે નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી પર આ પ્રદર્શન જાળવી રાખવાનો પડકાર રહેશે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.