ભરૂચ: GMDCના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ, BTS દ્વારા વિશાળ રેલી નિકળી

ભરૂચના વાલીયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં ભીલિસતાન વિકાસ મોરચા દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

New Update
  • ભરૂચના વાલિયામાં વિરોધ પ્રદર્શન

  • GMDCના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ

  • ભીલિસતાન ટાઇગર સેના દ્વારા વિરોધ નોંધાવાયો

  • વિશાળ રેલીનું કરાયુ આયોજન

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચના વાલીયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં ભીલિસતાન વિકાસ મોરચા દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
ભરૂચના વાલીયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ દિવસને દિવસે ઘેરો બનતો જઈ રહ્યો છે અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કરાયા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો ત્યારે આજરોજ ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલીયા ગામના ચાર રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી.
જેમાં પૂર્વ ધારાસભ્ય અને ભીલિસતાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા, આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા કોકીલાબહેન તડવી, વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા આગેવાનોએ જીએમડીસીના આ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હુંકાર કર્યો હતો. લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે
Read the Next Article

ભરૂચ:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું કરાયુ આયોજન

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભોલાવ વિસ્તારમાં આયોજન કરાયું

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કાર્યક્રમ

  • સ્મૃતિસભાનું આયોજન કરાયુ

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ  ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના  યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડૉ. મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો.