ભરૂચ: ઝઘડિયાના સારસા ગામના તલાટી પર હુમલાનો વિરોધ, તલાટી મંડળે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામીત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

New Update
  • ભરૂચના ઝઘડિયાના સારસા ગામનો બનાવ

  • ગામના તલાટી પર હુમલો

  • પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે

  • તલાટી મંડળ દ્વારા કલેકટરને કરાય રજુઆત

  • દોષીતો સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતના તલાટી પર થયેલ હુમલા બાબતે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામીત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે 15 મે, 2025ના રોજ બે ઇસમો  આકાશ વસાવા અને અજય વસાવા એ તલાટી પર કચેરીમાં જઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાવતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને પાસા લગાવવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાની ઘટનાઓ બની છે જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે ત્યારે સરકાર આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે એવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

New Update
mines department
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.