ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતેથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી નિકળી

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પર્યાવરણ દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબો જોડાયા હતા

New Update
  • આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • જન જાગૃતિ રેલીનું આયોજન

  • સિવિલ હોસ્પિટલ ખાતેથી રેલીનું આયોજન

  • મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા

  • પર્યાવરણ બચાવોનો આપ્યો સંદેશ

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પર્યાવરણ દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબો જોડાયા હતા

તારીખ  ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્કૂલ અને એફ.એસ.ડબલ્યુ.ના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ સ્ટેશન સર્કલ સુધી આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સુરક્ષા અંગેના વિવિધ સૂત્રોચારો ઉચ્ચાર્યા હતા અને  પર્યાવરણલક્ષી બેનરો લઈ શહેરીજનોમાં જાગૃતિ ફેલાવી હતી.આ રેલીનું માર્ગદર્શન સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. અભિનવ શર્મા દ્વારા આપવામાં આવ્યું હતું.રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવાના સંદેશ સાથે શહેરવાસીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા માટે પ્રેરણા આપી હતી.

Read the Next Article

ભરૂચ-દહેજ રોડ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધનું તંત્રનું જાહેરનામું, 15 દિવસ સુધી અમલીકરણ

ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંક્શન સુધી 6 લેન એલિવેટેડ કોરીડોરનું બાંધકામ ચાલી રહયું હોવાથી ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

New Update
images (3)

ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંક્શન સુધી 6 લેન એલિવેટેડ કોરીડોરનું બાંધકામ ચાલી રહયું હોવાથી ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

28મી જૂનથી 13મી જૂલાઇ એટલે કે 15 દિવસ સુધી જાહેરનામુ અમલમાં રહેશે. આ દિવસો દરમિયાન સવારના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારદારી વાહનોએ ડાયવર્ઝન રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામામાંથી એસ.ટી.બસ, કંપની પેસેન્જર બસ. સ્કુલ બસ, દુધનાં વાહનો, શાકભાજીનાં વાહનો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ જતા—આવતા વાહનો તથા જી.જે.16નંબર પ્લેટ ધરાવતા ભારે વાહનો તથા નર્મદા ચોકડીથી ભોલાવ જી.આઈ.ડી.સી. તથા ભોલાવ જી.આઈ.ડી.સી થી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો ગુડ્ઝ કેરેજ વાહનો સિવાયનાં વાહનો નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી સવારના 5 કલાકથી રાત્રિનાં 9 કલાક સુધી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દહેજથી વડોદરા તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન રૂટ દહેજ ટાઉન, આમોદ ચોકડી, કડોદરા ચોકડી, મુલેર ચોકડી, આમોદ, સરભાણ ચોકડી નકકી કરાયો છે. જયારે દહેજથી સુરત તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન રૂટ દહેજ, રહીયાદ, પખાજણ, વાગરા, વિલાયત, દેરોલ, દયાદરા, નબીપુર રાખવામાં આવ્યો છે. વિલાયતથી વડોદરા અને સુરત તરફ જવા-આવવા માટે વિલાયત ચોકડી, દેરોલ, દયાદરા, નબીપુરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.