ભરૂચ : ઝઘડિયાના રાજપારડી યુનિવ મિનરલ્સ (યુનિટ-2)ની લોક સુનાવણી યોજાય, GPCBના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ લોક સુનાવણી સંપન્ન થઈ હતી

New Update
univ minrals

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી યુનિવ મિનરલ્સ (યુનિટ-2)ની GPCBના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી કોમ્યુનિટી હોલ ખાતે GMDC આમોદ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ યુનિવ મિનરલ્સ (યુનિટ-2)ના સિલિકા પ્લાન્ટની લોક સુનાવણી GPCB ના અધિકારીઓ તેમજ ઝઘડીયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની ઉપસ્થિતમાં યોજાય હતી.

જેમાં ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત ગામના લોકોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. જેમાં ઉપસ્થિત લોકોએ વાંધો રજૂ કર્યો હતો. વધુમાં આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રંજન વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ પ્રશ્ન કરવામાં આવ્યા હતાજેનો ઉત્તર આપવામાં ઉપસ્થિત અધિકારીઓ તેમજ પ્લાન્ટના સંચાલકો નિષ્ફળ નીવડ્યા હતા.

પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ લોક સુનાવણી સંપન્ન થઈ હતીજ્યાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તમામ વાંધાઓ આગળ મોકલી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.