ભરૂચ: લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ

ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

New Update

ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરી એકવાર ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ,જંબુસર 1 ઇંચ,આમોદ 19 મી.મી.,વાગરા 7 મી.મી.,ઝઘડિયા 2 મી.મી.,અંકલેશ્વર 2 મી.મી.,હાંસોટ 5 મી.મી.,વાલિયા 1 ઇંચ અને નેત્રંગ માં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. શરૂઆતમાં ખેતીલાયક વરસાદ વરસ્યા બાદ વરસાદ ધરતીપુત્રો ખેતીના કામમાં જોડાયા છે અને ખેતીલાયક વરસાદથી આ વર્ષે સારો પાક આવે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.