ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,વાગરામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તમામ નવ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તમામ નવ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા તો સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 16 મી.મી,આમોદ  8 મી.મી.,વાગરા 2 ઇંચ

ભરૂચ 20 મી.મી.ઝઘડિયા  21 મી.મી.અંકલેશ્વર  9 મી.મી.,હાંસોટ 1.5 ઇંચ,વાલિયા  15 મી.મી.અને નેત્રંગમાં  18 મી.મી.વરસાદ નોંધાયો છે. હજુ 48 કલાક ગુજરાત પર ભારે છે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.