New Update
રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચની મુલાકાતે
ભરૂચ સંબોધી પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદમાં યોજાનાર મહા સંમેલન અંગે આમંત્રણ પાઠવ્યું
સરકારની નીતિઓ પર કર્યા પ્રહાર
ક્ષત્રિય આગેવાનો રહ્યા ઉપસ્થિત
અમદાવાદ ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ભરુચ જિલ્લામાં આમંત્રણ માટે ભરુચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો
ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભીમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડીસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ભરુચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરુચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.
ભરુચ રાજપૂત છત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ લગાવવામાં આવી રહી છે.આવા પ્રહારના ઉત્તર રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.જે બાદ તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનના આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે.
Latest Stories