ભરૂચ : ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી નીકળી રથયાત્રા, ઇસ્કોન મંદિર- GIDC દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રા પ્રસ્થાન થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. તો બીજી તરફભરૂચGIDC વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી સમસ્ત ભોઇ જ્ઞાતિ પંચ દ્વારા પૌરાણિક રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છેત્યારે આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન બાદ ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથેની નગરચર્યાને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીદીવ-દમણ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાજિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત સમસ્ત ભોઇ જ્ઞાતિ પંચના આગેવાનો અને સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

તો બીજી તરફભરૂચમાં ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચGIDC વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતાત્યારેહરે રામાહરે ક્રિષ્નાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના શીતલ સર્કલથીપ્રસ્થાન થઈ કસક સર્કલમક્તપુર રોડજ્યોતિનગરતુલસીધામ વિસ્તાર થઈ પરત ઇસ્કોન મંદિર ખાતે પહોચી હતી.

Read the Next Article

ભરૂચ:ડો. અમિત ભગુભાઈ ભીમડાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત,કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં આપી છે ઉત્કૃષ્ટ સેવા

મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો

New Update
Dr Amit Bhagu Bhimada
ભરૂચના  અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની પ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો છે. ડો.અમિત ભીમડા છેલ્લા 2 વર્ષથી કોઈપણ દવા કે ઓપરેશન વિના માત્ર Bone Alignment પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે.

Dr Amit Bhagu Bhimada

તેઓએ અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને કમર, ગળા, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા સહિત અનેક જાતના જોડાનાં દુઃખાવાઓ અને નસ દાબાવાથી થતા દુઃખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને  શુભેરછા પાઠવવામાં આવી છે.