ભરૂચ : હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્પ યોજાયો, બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો...

ભરૂચ મામલતદાર કચેરી દ્વારા હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

New Update
  • લાભાર્થીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના

  • અનેક લોકો લઈ રહ્યા છે સરકારની વિવિધ યોજનાનો લાભ

  • લાભ મેળવવામાં રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું આવશ્યક

  • મામલતદાર કચેરી દ્વારા ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરાયું

  • હુસેનિયા સોસાયટીના લાભાર્થીઓ દ્વારા કેમ્પનો લાભ લેવાયો

ભરૂચ મામલતદાર કચેરી દ્વારા હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું અત્યંત આવશ્યક બન્યું છેત્યારે આ પ્રક્રિયા નજીકના જ સેન્ટરમાં પૂર્ણ થઈ શકે તે હેતુથી ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડના ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુંત્યારે ઇ-કેવાયસી કેમ્પનો 300થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદઇબ્રાહિમ કલકલમુમતાઝ પટેલ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.