ભરૂચ : હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્પ યોજાયો, બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો...

ભરૂચ મામલતદાર કચેરી દ્વારા હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

New Update
Advertisment
  • લાભાર્થીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના

  • અનેક લોકો લઈ રહ્યા છે સરકારની વિવિધ યોજનાનો લાભ

  • લાભ મેળવવામાં રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું આવશ્યક

  • મામલતદાર કચેરી દ્વારા ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરાયું

  • હુસેનિયા સોસાયટીના લાભાર્થીઓ દ્વારા કેમ્પનો લાભ લેવાયો

Advertisment

ભરૂચ મામલતદાર કચેરી દ્વારા હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું અત્યંત આવશ્યક બન્યું છેત્યારે આ પ્રક્રિયા નજીકના જ સેન્ટરમાં પૂર્ણ થઈ શકે તે હેતુથી ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડના ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુંત્યારે ઇ-કેવાયસી કેમ્પનો 300થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદઇબ્રાહિમ કલકલમુમતાઝ પટેલ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories