ભરૂચ : રોશન પાર્ક સોસાયટી ખાતે રેશનકાર્ડ E-KYC કેમ્પ યોજાયો, 200થી લાભાર્થીઓએ લાભ લીધો…

રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ભરૂચ મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી

  • રોશન પાર્ક સોસાયટીમાં રેશનકાર્ડ E-KYC કેમ્પનું આયોજન

  • સમગ્ર E-KYC કેમ્પનો 200થી લાભાર્થીઓએ લાભ લીધો

  • યોજના બદલ તમામ લાભાર્થીઓએ સરકારનો આભાર માન્યો

Advertisment

ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્વિમ વિસ્તાર સ્થિત રોશન પાર્ક સોસાયટી ખાતે રેશનકાર્ડ E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છેત્યારે આજરોજ ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્વિમ વિસ્તાર સ્થિત રોશન પાર્ક સોસાયટી ખાતે રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રોશન પાર્ક સોસાયટીઇમરાન પાર્ક અને બાયપાસ રોડ પરના વિવિધ વિસ્તારના લોકોએ લાભ લઈ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે નાયબ શહેર મામલતદાર પોતે હાજર રહી લોકોને સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં મસ્જિદના ટ્રસ્ટી તરફથી જાવેદ પટેલઈરફાન બોક્સરઇમરાન કારા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો 200થી લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment