ભરૂચ: પાંજરાપોળ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો સત્કાર સમારોહ યોજાયો

ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પાંજરાપોળ ખાતે આયોજન

  • નોટરી એસો.દ્વારા આયોજન કરાયું

  • નવનિયુક્ત નોટરીઓનું સન્માન કરાયુ

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું પણ સન્માન

ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા શહેરના જે.બી. મોદી રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે નવનિયુક્ત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, શાંતિલાલ શ્રોફ,રાજેન્દ્ર સુતરીયા બીપીન ભટ્ટ સહિતના આગેવાનો તેમજ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રકાશ મોદીએ લોકસભામાં પાસ થયેલ કેન્દ્ર સરકારના વકફ બિલને આવકાર્યું હતું અને રાજ્યસભામાં પણ આ બિલ પસાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.