ભરૂચ: નારાયણ એવન્યુ સોસા.ના રહીશોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર, ગ્રામપંચાયતના સત્તાધીશોનો વિરોધ

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોએ ભોલાવ ગ્રામપંચાયતના સત્તાધીશોની મનમાની સામે વિરોધ દર્શાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

New Update

ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

નારાયણ એવન્યુ સોસા.ના રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું

ભોલાવ પંચાયતના સત્તાધીશોનો વિરોધ

સત્તાધીશો મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ

ગટર લાઇનની કામગીરી બંધ કરાવવાની માંગ

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોએ ભોલાવ ગ્રામપંચાયતના સત્તાધીશોની મનમાની સામે વિરોધ દર્શાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં સ્થાનિકોના આક્ષેપ અનુસારભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગત તા. 13 માર્ચ 2024ના રોજ સમૃદ્ધિ બંગલોઝના પાછળના ગેટથી નારાયણ એવન્યુ સોસાયટીની માલિકીના રોડમાંથી ગટર પસાર કરી સુરભી એવેન્યુ ફ્લેટ પાસેની મુખ્ય ગટરમાં જોડાણ આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતોત્યારે નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોએ તંત્રમાં રજૂઆત કરી હોવા છતા ભોલાવ ગ્રામ પંચાયતના સત્તાધીશો ડે.સરપંચ યુવરાજસિંહ પરમાર તથા સરપંચના પતિ જીતુ પરમારે  સત્તાનો દુરુપયોગ કરી ગટર લાઇનનું કામ શરૂ કરાવ્યુ હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સેલિબ્રેશન એપાર્ટમેન્ટ તથા સમૃદ્ધિ એપાર્ટમેન્ટ બન્ને ધર્મનગર વિસ્તારમાં આવતા હોવાથી ધર્મનગરની ગટર લાઇનમાં જોડાણ આપી શકાય તેમ છે. છતાં ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેસોસાયટીની માલિકીના રોડમાંથી જ ગટર લાઇન પસાર કરવામાં આવતી હોવાથી સ્થાનિકોએ આ કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Read the Next Article

ભરૂચ : ઝઘડિયા તાલુકા કોંગ્રેસનું તંત્રને આવેદન, ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકો સુરક્ષિત રાખવા રજૂઆત કરાય...

ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

New Update
Jhagadia Congress

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોનેNFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોનાNFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કેઝઘડિયા તાલુકામાંNFSA હેઠળના રાશનકાર્ડ ધારકોને જે મુજબ કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધારા-ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરી જવાબ માંગવામાં આવે છે. પરંતુ એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટીસ આપવામાં આવી છે કેજેમનેGST એટલે શું..તે પણ ખબર નથી.

NFSAની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસીડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે. તેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાયતેને કુલ એકગ સાથે ગણવું ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીના આધારે રાશનકાર્ડ રાદ્દ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતા નક્કી કરવી જોઈએ. જો ગરીબ અને આદિવાસી પરિવારોનાNFSA હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવેતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે.