ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો,નર્મદા ડેમની પણ જળ સપાટી વધી

નર્મદા ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો

New Update

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ

ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી

ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક

નર્મદા નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડાયું

ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટીમાં વધારો

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી પણ વધી છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 1,71,183 પાણીની આવક થઈ રહી છે તો ડેમમાંથી નદીમાં કુલ 1 લાખ 11 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે.

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 17.38 ફૂટ નોંધાય છે.નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે આ તરફ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગની ખનીજ માફિયાઓ પર તવાઈ, એક અઠવાડિયામાં રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અટકાવવા પાછલા એક સપ્તાહ દરમ્યાન ઝગડિયા, રાજપારડી, મુલદ રોડ, ભરૂચ-દહેજ રોડ,

New Update
Bharuch By Election

ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અટકાવવા પાછલા એક સપ્તાહ દરમ્યાન ઝગડિયા, રાજપારડી, મુલદ રોડ, ભરૂચ-દહેજ રોડ, આમોદ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન સાદીરેતી ખનીજના બિન અધિકૃત વહન કરતા કુલ ૨ ટ્રક  તેમજ બ્લેકટ્રેપ ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪ વાહનો  આમ, કુલ ૦૬ વાહનો સીઝ કરી ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી.