ભરૂચ: ડ્રેનેજ લાઇનની કામગીરી દરમ્યાન બિસ્માર બનેલા માર્ગોનું કરાશે સમારકામ, રૂ.9 કરોડનો કરાશે ખર્ચ

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસ કાર્યો

  • મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત કામગીરી

  • બિસ્માર બનેલા માર્ગોનું કરાશે સમારકામ

  • રૂપિયા 9 કરોડનો કરવામાં આવશે ખર્ચ

  • અંબિકા નગરમાં યોજાયો ખાતમુર્હુત સમારોહ

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગર ખાતે રૂપિયા 34 લાખના ખર્ચે વિવિધ સોસાયટીની આઠ સ્ટ્રીટમાં નવનિર્માણ પામનાર માર્ગોના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શહેરમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન અનેક માર્ગો બિસ્માર બન્યા હતા ત્યારે આ તમામ માર્ગોનું રૂપિયા નવ કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ આ કાર્યક્રમ યોજાયો હતો.

આ સાથે જ ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર આઠમાં આવેલ વૈરાગીવાડમાં સીસી રોડ, પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલના કાર્યનું પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આવનારા સમયમાં શહેરમાં બિસ્માર બનેલ તમામ માર્ગોના સમારકામની કામગીરી નગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવશે..

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.