ભરૂચ: ડ્રેનેજ લાઇનની કામગીરી દરમ્યાન બિસ્માર બનેલા માર્ગોનું કરાશે સમારકામ, રૂ.9 કરોડનો કરાશે ખર્ચ

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસ કાર્યો

  • મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત કામગીરી

  • બિસ્માર બનેલા માર્ગોનું કરાશે સમારકામ

  • રૂપિયા 9 કરોડનો કરવામાં આવશે ખર્ચ

  • અંબિકા નગરમાં યોજાયો ખાતમુર્હુત સમારોહ

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગર ખાતે રૂપિયા 34 લાખના ખર્ચે વિવિધ સોસાયટીની આઠ સ્ટ્રીટમાં નવનિર્માણ પામનાર માર્ગોના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શહેરમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન અનેક માર્ગો બિસ્માર બન્યા હતા ત્યારે આ તમામ માર્ગોનું રૂપિયા નવ કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ આ કાર્યક્રમ યોજાયો હતો.

આ સાથે જ ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર આઠમાં આવેલ વૈરાગીવાડમાં સીસી રોડ, પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલના કાર્યનું પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આવનારા સમયમાં શહેરમાં બિસ્માર બનેલ તમામ માર્ગોના સમારકામની કામગીરી નગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવશે..

Latest Stories