ભરૂચ: ડ્રેનેજ લાઇનની કામગીરી દરમ્યાન બિસ્માર બનેલા માર્ગોનું કરાશે સમારકામ, રૂ.9 કરોડનો કરાશે ખર્ચ

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસ કાર્યો

  • મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત કામગીરી

  • બિસ્માર બનેલા માર્ગોનું કરાશે સમારકામ

  • રૂપિયા 9 કરોડનો કરવામાં આવશે ખર્ચ

  • અંબિકા નગરમાં યોજાયો ખાતમુર્હુત સમારોહ

Advertisment
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગર ખાતે રૂપિયા 34 લાખના ખર્ચે વિવિધ સોસાયટીની આઠ સ્ટ્રીટમાં નવનિર્માણ પામનાર માર્ગોના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શહેરમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન અનેક માર્ગો બિસ્માર બન્યા હતા ત્યારે આ તમામ માર્ગોનું રૂપિયા નવ કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ આ કાર્યક્રમ યોજાયો હતો.

આ સાથે જ ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર આઠમાં આવેલ વૈરાગીવાડમાં સીસી રોડ, પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલના કાર્યનું પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આવનારા સમયમાં શહેરમાં બિસ્માર બનેલ તમામ માર્ગોના સમારકામની કામગીરી નગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવશે..

Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment