ભરૂચ: રોટરી ક્લબ દ્વારા બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો,35 લોકોએ લીધો લાભ

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો

New Update
  • ભરૂચમાં યોજાયો કેમ્પ

  • રોટરી ક્લબ દ્વારા કેમ્પનું આયોજન

  • કૃત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો

  • 35 લોકોએ કેમ્પનો લાભ લીધો

  • રોટરી ક્લબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો
રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવા કર્યો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે કુત્રિમ હાથ બેસાડવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 35 લોકોએ લાભ લીધો હતો.આ કુત્રિમ હાથ બેટરી સંચાલિત છે. જેનાથી દિવ્યાંગ લોકો તેમના રોજિંદા કાર્યો સરળતાથી પાર પાડી શકે છે. દિવ્યાંગોનું જીવન પહેલાની જેમ સરળ બને તે હેતુથી રોટરી ક્લબ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચનાના પોદદાર, પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન સુકેતુ દવે સહિતના હોદ્દેદારો અને રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.