ભરૂચ: રોટરી ક્લબ દ્વારા બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો,35 લોકોએ લીધો લાભ

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો

New Update
  • ભરૂચમાં યોજાયો કેમ્પ

  • રોટરી ક્લબ દ્વારા કેમ્પનું આયોજન

  • કૃત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો

  • 35 લોકોએ કેમ્પનો લાભ લીધો

  • રોટરી ક્લબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

Advertisment
રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો
રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવા કર્યો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે કુત્રિમ હાથ બેસાડવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 35 લોકોએ લાભ લીધો હતો.આ કુત્રિમ હાથ બેટરી સંચાલિત છે. જેનાથી દિવ્યાંગ લોકો તેમના રોજિંદા કાર્યો સરળતાથી પાર પાડી શકે છે. દિવ્યાંગોનું જીવન પહેલાની જેમ સરળ બને તે હેતુથી રોટરી ક્લબ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચનાના પોદદાર, પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન સુકેતુ દવે સહિતના હોદ્દેદારો અને રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

ભરૂચ : તમામ તાલુકા મથકો પર સિવિલ ડિફેન્સની તાલીમનો આજથી પ્રારંભ, ઉત્સાહભેર લોકો જોડાયા

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.

New Update

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કરાયુ આયોજન

Advertisment

સિવિલ ડિફેન્સ અંગેની તાલીમ યોજાય

તમામ તાલુકા મથકો પર આયોજન

લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

અધિકારીઓએ પણ આપી હાજરી

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.
Advertisment
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત આજરોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવીલ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન જે.પી. આર્ટસ કોલેજ ભોલાવ ખાતે કરાયું હતું.આ તાલીમમાં નાયબ કલેક્ટર નીકુંજ પેટલ દ્નારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઇ તાલીમમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું.આ તાલીમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી લાડુમોર, તેમજ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment