ભરૂચ: રોટરી ક્લબ દ્વારા બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો,35 લોકોએ લીધો લાભ

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો

New Update
  • ભરૂચમાં યોજાયો કેમ્પ

  • રોટરી ક્લબ દ્વારા કેમ્પનું આયોજન

  • કૃત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો

  • 35 લોકોએ કેમ્પનો લાભ લીધો

  • રોટરી ક્લબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો
રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવા કર્યો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે કુત્રિમ હાથ બેસાડવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 35 લોકોએ લાભ લીધો હતો.આ કુત્રિમ હાથ બેટરી સંચાલિત છે. જેનાથી દિવ્યાંગ લોકો તેમના રોજિંદા કાર્યો સરળતાથી પાર પાડી શકે છે. દિવ્યાંગોનું જીવન પહેલાની જેમ સરળ બને તે હેતુથી રોટરી ક્લબ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચનાના પોદદાર, પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન સુકેતુ દવે સહિતના હોદ્દેદારો અને રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

અંકલેશ્વર: શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા DGVCLના અધિકારીની દાદાગીરીના આક્ષેપ સાથે મામલતદારને કરાય રજુઆત

અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.

New Update
  • અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

  • ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજુઆત

  • વીજ કંપનીના અધિકારીની દાદાગીરીના આક્ષેપ

  • યોગ્ય પગલાં ભરવા કરાય માંગ

  • ટ્રસ્ટના આગેવાનો જોડાયા

શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ડી.જી.વી.સી.એલના જુનિયર એન્જીનીયરની દાદાગીરી વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મંડળો વતી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડી.જી.વી.સી.એલ વીજ કંપની ખાતે રજુઆત કરવા ગયા હતા તે સમયે વીજ કંપનીના મુખ્ય અધિકારીને બદલે જુનિયર એન્જીનીયર હર્ષ પ્રજાપતિ વચ્ચે જવાબો આપતા જેઓને તમારી પાસે રજુઆત લઈને નથી આવ્યા તેમ કહેતા તેઓ દાદાગીરી પૂર્વક જવાબ આપી ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં ત્યારે આવા બેજવાબદાર અધિકારી સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.