ભરૂચ: આમોદના ઇખર ગામે જવેલરી શોપમાં તસ્કરોનો રૂ.3.96 લાખનો હાથફેરો, ચોરીની ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા

ઇખર ગામે સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો રૂ. 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ

New Update
  • ભરૂચના આમોદમાં તસ્કરોનો તરખાટ

  • ઇખર ગામે જવેલરી શોપમાં તસ્કરો ત્રાટકયા

  • રૂ.3.96 લાખના માલમત્તાની ચોરી

  • ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • આમોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

Advertisment
ભરૂચના આમોદના ઇખર ગામે સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો રૂ. 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
ભરૂચના  આમોદ તાલુકાના ઇખર ગામે ધર્મેન્દ્ર સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે તેમણે રાત્રીએ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયાં હતાં. સવારે તેઓ દુકાને પરત આવતાં તેમની દુકાનના શટરને વચ્ચેથી ઉંચુ કરી દુકાનમાં ચોરી કરાયાનું માલુમ પડ્યું હતું.તેમણે શટર ઉંચકી અંદર જઇ જોતાં સોના-ચાંદીના દાગીના ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું.
દુકાનમાં લગાવેલાં સીસીટીવીના ફૂટેજ તપાસતાં રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ચાર તસ્કરોએ આવી તેમની દુકાનનું શટર તોડી દુકાનમાં હાથફેરો કર્યો હોવાનું દેખાયું હતું.દુકાન માલિકે આમોદ પોલીસ મથકે કુલ 3.96 લાખના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment