ભરૂચ: આમોદના ઇખર ગામે જવેલરી શોપમાં તસ્કરોનો રૂ.3.96 લાખનો હાથફેરો, ચોરીની ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા

ઇખર ગામે સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો રૂ. 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ

New Update
  • ભરૂચના આમોદમાં તસ્કરોનો તરખાટ

  • ઇખર ગામે જવેલરી શોપમાં તસ્કરો ત્રાટકયા

  • રૂ.3.96 લાખના માલમત્તાની ચોરી

  • ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • આમોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ભરૂચના આમોદના ઇખર ગામે સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો રૂ. 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
ભરૂચના  આમોદ તાલુકાના ઇખર ગામે ધર્મેન્દ્ર સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે તેમણે રાત્રીએ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયાં હતાં. સવારે તેઓ દુકાને પરત આવતાં તેમની દુકાનના શટરને વચ્ચેથી ઉંચુ કરી દુકાનમાં ચોરી કરાયાનું માલુમ પડ્યું હતું.તેમણે શટર ઉંચકી અંદર જઇ જોતાં સોના-ચાંદીના દાગીના ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું.
દુકાનમાં લગાવેલાં સીસીટીવીના ફૂટેજ તપાસતાં રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ચાર તસ્કરોએ આવી તેમની દુકાનનું શટર તોડી દુકાનમાં હાથફેરો કર્યો હોવાનું દેખાયું હતું.દુકાન માલિકે આમોદ પોલીસ મથકે કુલ 3.96 લાખના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.