ભરૂચ: બૅન્ક ઓફ ઇન્ડિયામાંથી ચેક મેળવી લઈ વલસાડમાંથી રૂ.4 લાખ ઉપાડી લેવાયા,છેતરપિંડી અંગેની નોંધાઇ ફરિયાદ

બેંકની લાપરવાહીને પગલે ગઠીયો વલસાડની કેનરા બેંકમાં જઈ ચેક વટાવી રૂપિયા 4 લાખ ઉપાડી લેતા છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે

New Update
Bank Fraud
ભરૂચની પાંચબત્તી બેંક ઓફ ઇન્ડિયાની શાખાની લાપરવાહીને પગલે ગઠીયો વલસાડની કેનરા બેંકમાં જઈ ચેક વટાવી રૂપિયા 4 લાખ ઉપાડી લેતા છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
ભરૂચના એબીસી સરક પાસે આવેલ સાંઈ હાઈટ્સ ખાતે રહેતી નિરાલીબેન સુરેશચંદ્ર બલસારા ગત તારીખ-૨૯મી જુલાઈના રોજ ભરૂચની પાંચબત્તી બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પોતાના વલસાડ ખાતે રહેતા કાકાના કેનરા બેંકમાં ચેક જમા કરાવેલ હતો જે ચેકની રસીદ લઇ તેઓ પોતાના ઘરે ગયા હતા જે બાદ તેઓના પિતાએ ફોન મારફતે મહિલાને જાણ કરી હતી કે તેઓના કાકાની બેકમાં જે ચેક જમા કરાવ્યો હતો તે ચેક અજાણી વ્યક્તિ ભરૂચ શાખામાંથી મેળવી વલસાડ ખાતે રહેતા કાકાના કેનરા બેંકમાં જમા કરાવી રૂપિયા 4 લાખ ઉપાડી લીધા હોવાનું જણાવ્યું હતું
જે બાદ મહિલાએ બેંક ખાતે તપાસ કરતા બેન્કના અધિકારીએ સંતોષકારક જવાબ નહિ આપતા તેણીએ અજાણી વ્યક્તિ અને બંને બેન્કના જવાબદાર અધિકારી સામે છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન ખાતે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
Latest Stories